જો તમે પણ સાસણ ગીર જવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લેજો આ તારીખથી બંધ રહેશે ગીર અભયારણ

Date:

16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય બંધ રહેશે. સિંહનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે ગીર અભયારણ બંધ રાખવામાં આવે છે.સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, 2023માં 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. જંગલ સફારીની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે.

આ અભયારણ્ય, જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.

જો તમારે સાસણ ગીર અભ્યારણની મુલાકાત લેવા જવું છે, તો તમે ફ્લાઈટ દ્વારા જવું છે તો તમને રાજકોટ સુધીની ફ્લાઈટ મળી જશે. ત્યાંથી તમારે જૂનાગઢ અને ત્યારબાદ સાસણ ગીર જઈ શકશો. જો તમારે ટ્રેન દ્વારા મુસાફરી કરવી છે તો તમને જૂનાગઢથી સાસણગીરની ટ્રેન મળી રહેશે. તેમજ જો તમારે બસમાં મુસાફરી કરવી છે તો પણ તમને જૂનાગઢથી અનેક બસ સાસણ ગીર સુધીની મળી રહેશે.

સાસણ ગીર પહોંચ્યા પછી તમને અનેક રિસોર્ટ તેમજ હોટલ રહેવા માટે મળી જશે. તમે જિપ્સી તેમજ બસ દ્વારા મુસાફરી કરી શકો છો, જેના માટે દેવળીયા પાર્ક, આંબરડી સફારી પાર્કમાં તમે ફરી શકો છો. જૂનાગઢથી 55 કિમી દુર સાસણ ગીર આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Singham Again and Bhool Bhulaiya 3 Clash: આ દિવસે બોક્સ ઓફિસ પર ટકરાશે બે સુપરહિટ ફિલ્મોના સિક્વલ

સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન' અગાઉ આ વર્ષે...

ચારધામ જતા ભક્તોએ એટલી બધી પાણીની બોટલો ફેંકી કે કોર્પોરેશનને 1 કરોડ રૂપિયાની કમાણી થઈ!

આ દિવસોમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ...

અમદાવાદમાં ભીષણ આગ: બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ ભડકે બળી, બ્લાસ્ટ થતા ફાયરની 18થી વધુ ગાડી દોડી

અમદાવાદમાં વહેલી સવારે ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે....